
સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કાર્તિકી પૂર્ણિમાના લોકમેળાનો પ્રારંભ…
અનિલ રામાનુજ, એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો ભવ્યાતિ ભવ્ય કાત્યોકનો મેળોનો આજથી પ્રારંભ થયો છે.
સાત દિવસ ચાલતા આ મેળામાં 12 લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે જેને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ છે. ત્યારે સાંજે સિદ્ધપુરમાં પરંપરાગત રીતે ભરાતા કાર્તિક પૂર્ણિમાના લોકમેળા મગરવાડા તીર્થ ધામના ગાદીપતિ વિજયસોમજી મહારાજના આશીર્વચન સાથે સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા ઉદ્દઘાટન કરી પ્રજાજનો માટે લોક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
શ્રધ્ધા ભકિત અને ઉલ્લાશના ત્રિવેણી સંગમ સરખા કાર્તિકી લોકમેળામાં સાત દિવસની પ્રાસંગકતા વચ્ચે 12 લાખ જેટલા ભાવિકોની આવન-જાવન અને ઉપસ્થિત હોય છે. માતૃતર્પણ તીર્થ તરીકે સિધ્ધક્ષેત્રે સિદ્ધપુરની ખ્યાતિ છે. સિદ્ધપુરના સરસ્વતી નદીના કાંઠે અનેક દેવ-દેવતાના મંદિરો આવેલા છે. આ મેળાને ભવ્યાતી ભવ્ય રૂપ આપવા સિદ્ધપુર પાલિકા દ્વારા કાર્તિકી પૂર્ણિમાના મેળાનું સુંદર આયોજન કરેલ છે.
સિદ્ધપુર નગર પાલીકા પ્રમુખની રાહબરી હેઠળ કર્મચારી સહિત ઉપસ્થીત રહી કાત્યોકના લોક મેળા સુંદર સંચાલન હાથ ધરાયું છે.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર વી.એસ.પટેલ, સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અનીતબેન પટેલ, નગરપાલિકા ઉપ પ્રમુખ સોનલબેન ઠાકર, કારોબારી ચેરમેન રશ્મિન દવે, તાલુકા પંચાયતના પ્રમુખ ગિરીબેન ઠાકોર, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, ચીફ ઓફિસર તેમજ કોર્પોરેટરઓ, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં શહેરી અને આજુબાજુ ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.