
સંવિધાન દીવસ નિમિતે બીજેપી – અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન યાત્રાનું આયોજન કરાયું
સંજીવ રાજપૂત: એબીએનએસ, જામનગર: ભારતીય જનતા પાર્ટી – અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવેલ. આ તબક્કે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, સંવિધાન સાથે લાલ બંગલે થી શહેર ભાજપ કાર્યાલય સુધી સંવિધાન યાત્રા યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા, મેયર વિનોદ ખીમસુરિયા, સ્ટે. ચેરમેન નિલેશ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન પરસોતમભાઈ કકનાણી, આગેવાન સામતભાઈ પરમાર, ઉપાધ્યક્ષ રાજુ યાદવ, હરીશભાઈ ચૌહાણ, વિજય પરમાર, દીપક શ્રીમાળી, અનું મોરચાના પ્રભારી સહિત અનુસૂચિત મોરચાના પદાધિકારીઓ, હોદેદારો, કોર્પોરેટરઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.